મોરબી : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા R.B.O.2 મોરબી દ્વારા 19 જૂનના દિવસે બેંકના 70 માં સ્થાપના દિવસ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સંસ્કાર બ્લડ સેન્ટર હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 રક્તદાતાએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં એજીએમ મોહન ક્રિષ્ના, મેનેજર વિજયકુમાર ચૌહાણ, મદદનીશ નિષ્કર્ષ મહેતા અને એસ.બી.આઇ. પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રક્તદાતાઓ, આયોજકો, એસ.બી.આઈ. કર્મચારી, SBIના ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.