મોરબી : યાત્રીઓની સુવિધા તથા સંચાલન સંબંધિત કારણોસર દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નં. 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ખંભાળિયા સ્ટેશને 10-37 વાગ્યાને બદલે 10-08 વાગ્યે, દ્વારકા સ્ટેશને 12-21 વાગ્યાને બદલે 11-26 વાગ્યે અને ઓખા સ્ટેશને 13-15 વાગ્યાને બદલે 12-40 વાગ્યે આવશે. આ ફેરફાર 29-06-2025 થી અમલમાં આવશે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશે. આ ટ્રેનના માર્ગમાં આવતા અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન સમય સહિત અન્ય અદ્યતન માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.