મોરબી : મોરબી મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા તારીખ 1 એપ્રિલ 2025 થી 18 જૂન 2025 સુધી 10,000 થી 50,000 સુધીની રકમ બાકીના 3750 મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવી છે. તેમજ 3912 બિલની બજવણી કરવામાં આવી છે. જેમાં ટેક્સ શાખા દ્વારા 11 મિલકતો સીલ કરવામાં આવી હતી. જેમાંથી સાત મિલકત ધારકો દ્વારા ટેક્સ ભરપાઈ કરી દેવામાં આવ્યો હોય સીલ ખોલી દેવામાં આવ્યા હતા. તેમજ મિલકતની ટૂંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસૂલાત કરવામાં આવશે. તેમજ વર્ષ 2025-26 માં પણ ટેક્સ શાખા દ્વારા 2024-25 ના વર્ષની બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જૂન સુધીમાં મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવશે. મિલકત વેરો ભરવા માટે www.enagar.gujarat.gov.in પર ઓનલાઇન ટેક્સ ભરી શકાશે. આ ઉપરાંત સિવિક સેન્ટર અને મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીએ પણ ટેક્સ ભરી શકાશે. હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા પર 10% રીબેટ પણ આપવામાં આવે છે. તો મોરબીની જાહેર જનતાને બાકી વેરો તાત્કાલિક ભરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.