ટંકારા : આજરોજ તારીખ 19 જૂન ને શુક્રવારના રોજ ટંકારાના દેવકુંવર શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવી હતી. આગજન્ય અકસ્માતો અને આકસ્મિક સ્થિતિ નિર્માણ પામે ત્યારે આવી સ્થિતિને કેવી રીતે નિવારી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આ ફાયર સેફ્ટી કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગ લાગવાના બનાવો અને આગ નિયંત્રણ અંગે માહિતી અપાઈ હતી. આગ લાગવાના બનાવ સમયે ફાયર સેફ્ટીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે વિશે પ્રત્યક્ષ પ્રાયોગિક રીતે બતાવીને વિદ્યાર્થીઓને જાગ્રત અને જ્ઞાનગત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રિન્સિપાલ હરેશભાઈ સદાતીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.