મોરબી : ક્રાંતિકારી સેના મોરબી દ્વારા મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ આવતીકાલે તારીખ 18 જૂન ને બુધવારના રોજ કરવામાં આવશે. મોરબી જિલ્લામાં સૌપ્રથમવાર ભારતના ક્રાંતિકારીઓની યાદમાં વીરાંગના પાર્ક બનાવવામાં આવ્યું છે. ત્યારે 18 જૂનના રોજ સાંજે 5 કલાકે મોરબીના રવાપર રોડ પર ગોલ્ડન માર્કેટની બાજુમાં રવાપર તળાવ ખાતે મહાન ક્રાંતિકારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.