જ્યાં પાણી ભરાયું છે ત્યાં ડિવોટરિંગ કરી પાણીનો નિકાલ કરાશે : ડે.કમિશનરમોરબી : એક વરસાદમાં જ લાતી પ્લોટની દુર્દશા થઈ ગઈ છે. રસ્તાઓ ચાલવા યોગ્ય પણ રહ્યા નથી. જેને પગલે મહાપાલિકા દ્વારા મેટલ નાખવાનું કામ હાથ ધરવામાં આવશે તેવું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટમાં ચોમાસાના પહેલાં વરસાદમાં જ સમસ્યાઓની ભરમાર સર્જાઈ છે. રોડ ઉપર ચાલી પણ ન શકાય તેવી રીતે જમીન પોલી થઈ ગઈ છે. બીજી તરફ અનેક કારખાનાઓમાં પાણી ઘુસ્યા છે. આ મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા લાતી પ્લોટના શેરી નં. 2, 3, 4 અને 7માં મેટલ અને ભૂકી નાખવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા જેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં ડી વોટરિંગ કરી પાણી ઉતારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.