14 થી 20 સપ્ટેમ્બર સુધી સર્વે પિતૃ મોક્ષાર્થે જલારામધામ ખાતે યોજાશે કથામોરબી : શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ-મોરબી ખાતે એ.સી. હોલમાં આગામી તારીખ 14 સપ્ટેમ્બર ને ભાદરવા વદ આઠમથી 20 સપ્ટેમ્બર ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વે પિતૃઓના મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસાસને મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજી (ગુરુ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં 1 મુખ્ય પોથી યજમાન તથા 10 અન્ય યજમાન સહિત કુલ 11 પોથી યજમાન પરિવાર જોડાશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી ઉપરાંત દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. વહેલા તે પહેલાના ધોરણે માત્ર 11 પોથી જ નોંધવાની હોય પોથી નોંધાવવા માટે ભાવનાબેન અનિલભાઈ સોમૈયા-મો.નં. 8511060066 પર સંપર્ક કરવા જણાવાયું છે.