મચ્છુ-2 ડેમમાંથી પાણીની જાવક ચાલુ હોય, કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી મોરબી : મોરબીમાં મચ્છુ-2 ડેમમાંથી પાણીની જાવક ચાલુ છે. તેવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બેઠા પુલ પાસેના ઝૂંપડાઓ અને કેબીનો ખાલી કરાવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છુ-2 ડેમનું રીપેરીંગ કામ હજુ પૂર્ણ થયુ નથી. જેથી દરવાજા ખુલ્લી હાલતમાં છે. હાલ પાણી ક્રેસ્ટ લેવલથી 3 ઈંચ ઓવરફ્લો થઈને જઈ રહ્યું છે. જેને પગલે હેઠવાસના ગામોને સાવચેત રહેવાની સૂચના પણ જાહેર કરવામાં આવી છે. વધુમાં પોલીસ અને મહાપાલિકાની ટિમ દ્વારા બેઠા પુલ પાસે આવેલા અંદાજે 35 ઝૂંપડા અને 15 જેટલી કેબીનો તકેદારીના ભાગરૂપે ખાલી કરાવામાંમાં આવી છે.