વરસાદના કારણે અનેક પરિવારનો ચુલો જગ્યો ન હોય, આવા સમયે કોઈ ભૂખ્યું ન સુવે તેવી નેમ સાથે જઠરાગ્નિ ઠારવાનું સેવાકાર્ય હાથ ધરાયુમોરબી : મોરબી શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત પડી રહેલા ભારે વરસાદે ઝૂંપડપટ્ટીઓ અને વંચિત વિસ્તારોના નાગરિકોનું જનજીવન અસ્ત વ્યસ્ત કરી દીધું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, ભોજન બનાવવું અને ચૂલો પ્રગટાવવો લોકો માટે અત્યંત અઘરું બની ગયું છે. આ સંકટના સમયે યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ગરમ અને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરવાની પહેલ હાથ ધરવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી શકે. જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરે નહીં. આ સેવાકાર્ય આગામી દિવસોમાં અવિરત ચાલુ રહેશે. યંગ ઈન્ડિયા ગ્રૂપના મેન્ટોર ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે: “સહાય ત્યારે સાચી હોય જ્યારે કોઈને એની અતિશય જરૂર હોય. સમાજસેવા એ એક પ્રવાહ છે. જ્યારે યુવાનો તેમાં જોડાય, ત્યારે પરિવર્તનની શક્તિ એમાં શ્વાસ લે છે.” તેમણે ઉમેર્યું કે કુદરતી આફત કે અણપેક્ષિત તકલીફોમાં સરકાર ઉપરાંત સામાજિક સંસ્થાઓનો સહયોગ પણ એટલો જ મહત્વનો છે. લોકો સુધી ભોજન જેવી મૂળભૂત જરૂરિયાત પહોંચે એજ મુખ્ય હેતુ છે.સેવા અભિયાન અંતર્ગત યુવાનોની ટીમ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી, નદીકાંઠા અને બાંધકામ સાઇટ નજીક તથા મોરબીમાં આવેલ પ્રવાસીઓ માટે નવા બસ સ્ટેન્ડ તથા જુના બસ સ્ટેન્ડ સહિત નજીકવસતા શ્રમિક પરિવારો સુધી પહોંચીને ગરમ ભોજન તથા ના ભોજનપેકેટો વિતરણ કરાયા. લોકોને માત્ર ભોજન જ નહીં, એક માનવિય ઉમંગ અને આશાનો સંદેશ પણ મળ્યો.આ સેવાપ્રેરિત અભિયાન યંગ ઈન્ડિયા ગ્રૂપના ધ્યેય “સક્રિય યુવા, સતર્ક સમાજ” નું જીવંત ઉદાહરણ છે. યંગ ઈન્ડિયા ગ્રુપ સમાજના તમામ વર્ગોને આવા માનવીય કાર્યોમાં સહભાગી થવા અને વિપદાના સમયે એકબીજાની મદદ કરવા અપીલ કરે છે. આ કાર્ય દ્વારા ગ્રુપે એ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો દ્વારા કોઈપણ સંકટનો સામનો કરી શકાય છે.