વિવિધ રોગના નિષ્ણાત તબીબો આપશે સેવા, નિઃશુલ્ક રિપોર્ટ પણ કરી અપાશેમોરબી : મૂળ સગાળીયા હાલ મોરબી ચભાડીયા કુટુંબના નિવૃત્ત Dysp સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે તેમના પુત્ર જયવંતસિંહ જાડેજા દ્વારા આયોજિત અને તેમના પૌત્ર ડો. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજા દ્વારા પ્રેરિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડોક્ટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગથી વિનામૂલ્યે સર્વજ્ઞાતિ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.22 જૂન ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના સામાકાંઠે એલઈ કોલેજ રોડ પર આવેલી મયુર હોસ્પિટલ ખાતે આ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. કેમ્પના ઉદઘાટત કરીકે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, મોરબી જિલ્લા કલેક્ટર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનના ડાયરેક્ટર સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.આ કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. બીપી સુગર સહિતના રિપોર્ટ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. દર્દીઓને રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે. રજિસ્ટ્રેશન માટે જયવંતસિંહ જાડેજા (મો.નં. 9727277777), નિરુભા ઝાલા (મો.નં. 9725855777), મહેન્દ્રસિંહ ઝાલા (મો.નં. 9825222787) પર સંપર્ક કરવા જણાવાયું છે.