રેલવેની દીવાલ કરવામાં આવતા પાણી નિકાલ બંધ થયો, પાણીની નીચે મોટા ખાડા હોવાથી વાહનચાલકો ઉપર જોખમમોરબી : મોરબીના એલઇ કોલેજના રોડે પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે પાણીના તળાવ ભરાયા છે. જેને પગલે મહાપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનો એલઇ કોલેજનો રોડ છેલ્લા એકાદ વર્ષથી બિસ્માર હાલતમાં હતો. ચોમાસા પૂર્વે તેનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી. અધૂરામાં પૂરું અહીં રેલવેની જમીન જે અગાઉ ખુલ્લી હતી. તેને ફરતે દીવાલ કરી દેવામાં આવતા પાણી નિકાલ થઈ શકે તેમ નથી. જેથી અગનેશ્વર મહાદેવ મંદિર પાસે પાણીના તલાવડા ભરાયા છે. અને આ પાણીની નીચે મસમોટા ખાડા હોવાથી વાહનચાલકો ઉપર જોખમ ઉભું થયું છે.