મોરબી : 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલા સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના પ્રેમસ્વામી અને શાસ્ત્રી સ્વામી જગતપ્રકાશદાસજી અને અન્ય સંતો તેમજ તમામ હરિભક્ત, ભાઈ-બહેનોએ દિવાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમ્યાન શોકસભા, પ્રાર્થના, ધૂન અને મૌન પાળી દુઃખ વ્યક્ત કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ મૃતકોના આત્માને શાંતિ મળે, ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. તેમજ કેટલાક ડોક્ટરો પણ મોતને ભેટ્યા છે.