ટંકારા પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે સાધુનું ઉમળકાભેર સ્વાગત કરી ચાતુર્માસ પ્રવેશ કરાયો ટંકારા : ટંકારા તિર્થ ક્ષેત્રે પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં ટંકારા સકલ સંધને ચાર દશકા બાદ ચાતુર્માસ કરાવવાનો યોગ પાપ્ત થયો હોય રવિવારે શહેરના મુખ્ય માર્ગો ઉપર સામૈયા સ્વાગત સાથે શ્રી જૈન શ્ર્વે. તપગચ્છ સંધ અને સ્થા. જૈન સંઘ- ટંકારા ઉમળકાભેર આવકાર જોડાયો હતો. શ્રી વાગડ સમુદાયના અધ્યાત્મયોગી ૫.પૂ.આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરિજીમાસાના શિષ્યરત્ન ગચ્છાધિપતી આ.ભ.શ્રી કલ્પતરૂસૂરિજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ.સા. શ્રી જ્યોતિદર્શનાશ્રીજી મ.સા. તથા પૂ.સા.શ્રી જિનદર્શિતાશ્રીજી મ.સા., ૫.પૂ.આ.ભ.શ્રી કલ્પતરૂસૂરિજી મ.સા.ની આજ્ઞાથી તથા ૫.પૂ.આ.ભ.શ્રી હેમપ્રભસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ટંકારા સકલ સંઘમાં આશરે 45 વર્ષ બાદ ચાતુર્માસ માટે જૈન સંતો પધરામણી થઈ હતી. ચાતુર્માસના મુખ્ય લાભાર્થી પુન્યવંત પરિવાર પૂ. પંન્યાસ વજ્રસેનવિજયજી મહારાજની દિવ્ય૨મૃતિ પૂ. આચાર્ય દેવ શ્રી મનમોહનસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય દેવ શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી માતુશ્રી મણીબેન પરસોત્તમ પાનાચંદ મહેતા પરિવાર, ટંકારા વાળા રહ્યા છે.ચાતુર્માસ પ્રવેશ રવિવારે સવારે 6:30 કલાકે વાજતે ગાજતે સામૈયા સાથે મોટી સંખ્યામાં જૈન જૈનેતરો ઉમટયા હતા. અનંત આનંદ સાથે આધ્યાત્મિકતા માટે મથતાને અનેરો અવસર પ્રાપ્ત થયાની ઉજવણી આવકાર આપતી વેળાએ જોવા મળી હતી. ચાતુર્માસ પ્રવેશ બાદ સકલ સંધ નવકારશી યોજાઈ હતી.