મોરબી : મોરબીમાં નવનાત વણિક સમાજ દ્વારા વણિક સમાજના ફિરકાઓના સંતાનો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તારીખ 15 જૂન ને રવિવારના રોજ મોરબીના સરદાર રોડ પર આવેલી દશા શ્રીમાળી વણિક વાડી યુનિટ-1 ખાતે સવારે 9-30 થી 12-30 સુધી 225 રૂપિયામાં 10 નંગ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તતીરેક રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહ તથા કમિટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.હવે બે દિવસ માટે આ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે. જે મોરબીના શ્રી પાર્શ્વ પોલિપેક મેઈન રોડ નીતિનભાઈની દુકાનેથી મળી રહેશે. તો સવારે 9 થી 12 અને બપોરે 4 થી 6 વાગ્યા સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે ચોપડા મેળવી લેવા મોરબી જિલ્લા નવનાત વણિક સમાજ કમિટી દ્વારા જણાવાયું છે.