મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીએ ત્રાટકીને જુગાર રમતા પાંચ શખ્સોને પકડી તેની સામે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે અભરામભાઈ મુસાભાઈ બુઢર રહે. વનાળીયા વાળા જે વનાળીયા ગામના ગણેશભાઇ ગંગારામભાઇ દેકાવાડીયાની સીમમાં આવેલ વાડી વાવે છે અને તે વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે દરોડો પાડી અભરામભાઈ મુસાભાઈ લુઢર રહે.વનાળીયા, યુનીસભાઇ હાજીભાઈ કાળા રહે.વનાળીયા, પ્રગ્નેશભાઇ ગોવીંદભાઈ પરમાર રહે.નવા સાદુળકા, મગનભાઇ ભુરાભાઇ વિરસોડીયા રહે. લક્ષ્મીનગર, ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા રહે. મોરબી દરબારગઢ સ્વામીનારાયણ શેરીવાળાને રોકડ રૂ.૩૪,૨૦૦/- સાથે પકડી લેવામાં આવ્યા છે.આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઇ વી.એન.પરમાર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયો હતો.