મોરબીના સોખડા ગામે થયેલી હત્યા અંગે ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ કારખાનામાં યુવાનની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યા બાદ મૃતક યુવાનના બહેને હત્યારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે મૃતકના પત્ની સાથે આરોપી મોબાઈલ ફોનમાં વાતો કરી સંબંધ કેળવતો હોય જે અંગેની જાણ મૃતકને થતા તેને હત્યારાને ઠપકો આપતા હત્યારાએ ગળું દાબી માર મારી હત્યા કરી નાખી હતી.મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ રેબેકા લેમીનેટ કારખાનામાં કામ કરતા ગબ્બર દેવીસિંહ આહીવાર નામના યુવાનની હત્યા કરી નાખવામાં આવતા બનાવ અંગે મૃતકના બહેન સુનિતા રવિન્દ્રનર્મદા આહિવાર રહે.લેવેન્ટા લેમીનેટ, નવા ધનાળા, મૂળ રહે.મધ્યપ્રદેશ વાળીએ આરોપી ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગરમીયા રહે.બિહાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, મૃતક ગબ્બરના પત્ની સાથે આરોપી ખુરશીદ ઉર્ફે રાજખાન ફોનમાં વાતો કરી સંબંધો કેળવતો હોવાની જાણ મૃતક ગબ્બરને થઈ જતા તેને આરોપી ખુરશીદને ઠપકો આપતા આ બાબતનો ખાર રાખી આરોપીએ ગબ્બરનું ગળું દબાવી દઈ માર મારતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાલના મોરબી તાલુકા પોલીસે મૃતકના બહેનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.