મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના પ્રાર્થના હોલમાં સરસ્વતી માતાનું મંદિર બનાવી તેમાં સરસ્વતી માતાની 3 ફૂટ ઉંચી મૂર્તિની શાસ્ત્રી કેતન જોષી દ્વારા વૈદિક વિધિથી શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા અનેકવિધ અવનવી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે નવા શૈક્ષણિક વર્ષથી શાળામાં પ્રાર્થના હોલ કમ મધ્યાહ્નન ભોજન માટેનું ભોજનાલય બનાવ્યું છે, જેમાં સુંદર મજાના મંદિરનું નિર્માણ કરી સરસ્વતીજીની ત્રણ ફૂટ ઊંચી મૂર્તિની શાસ્ત્રી કેતન જોષી દ્વારા વૈદિક વિધિથી શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ સાથે જ હમારા વિદ્યાલય હમારા તીર્થની સંકલ્પના સાકારીત કરવામાં આવી છે. આ દરમ્યાન મંદિરમાં બાલ વાટીકાથી ધો. 8ની બાળાઓની ઉપસ્થિતમાં સરસ્વતીની આરતી ઉતારવામાં આવી, પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ બાળાઓમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મંદિર નિર્માણમાં શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાની દિકરી ડો.હિતાર્થીબેન દિપકુમાર ત્રાંબડીયાને ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે સમ હોસ્પિટલમાં સર્વિસ મળતા પ્રથમ પગારમાંથી આર્થિક યોગદાન પૂરું પાડ્યું છે, આ મંદિર નિર્માણ કરવામાં મૂર્તિ લઈ આવવી અને મૂર્તિને વિધિવત રીતે પ્રસ્થાપિત કરવામાં શાળા મધ્યાહ્નન ભોજન સંચાલક હર્ષદભાઈ ઉંટવાડિયાએ જહેમત ઉઠાવી છે.