મૃતદેહો બહાર કાઢવાની કામગીરી પૂર્ણ, ગુજરાતમાં રહેતા પરિવારજનોના 1000 ડીએનએ સેમ્પલ લેવાયા, હવે વિદેશથી જે પરિવારજનો આવશે તેના ડીએનએ સેમ્પલ લેવાશે, રિપોર્ટને આધારે મૃતદેહ સોંપાશેમોરબી : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ દોડી આવ્યા હતા. તેઓએ મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને અધિકારીઓ પાસેથી વિગતો એકત્ર કરી તેમજ હોસ્પિટલની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વિમાનમાં કુલ 230 યાત્રી અને 12 ક્રુ મેમ્બર હતા. 1 યાત્રીને બચાવ થયો છે. હું તેને મળીને આવ્યો છું. મૃતકનો આંકડો DNA બાદ જ ખબર પડશે. ઘટના બાદ ગુજરાત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટને સક્રિય કરી હતી. ભારત સરકાર CRPF નો સંપર્ક કરી તમામે સાથે મળી બચાવ કાર્ય કર્યું હતું. ફ્લાઇટમાં 1.25 લાખ લિટર ઇંધણ હતું. જેના કારણે તાપમાન ખૂબ ઊંચું ગયું હતું.જેથી કોઈને બચાવવાનો મોકો ન મળ્યો. કોઈને બચાવી શકાય તેવી સ્થિતિ નહોતી.યાત્રિકોના પરિવારજનોના DNA લેવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.વિદેશમાં રહેતા લોકોને DNA માટે જાણ કરી છે.ગુજરાતમા રહેતા પરિવારજનોના 1000 DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. ટેસ્ટ કરવાની ક્ષમતા ગુજરાતમાં છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મદદથી ઝડપથી ટેસ્ટ કરાશે. DNA બાદ જ તમામને મૃતદેહ આપવામાં આવશે.રિવ્યૂ બેઠકમાં તમામ બાબતે ચર્ચા કરી છે.ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, અનેક પેસેન્જર્સ આ દુર્ઘટનામાં માર્યા ગયા છે. આ ઘટનાથી આખો દેશ ક્ષુબ્ધ છે. આ દુર્ઘટનાના મૃતકોના પરિજનો સાથે સંવેદના છે. ગુજરાત સરકાર તરફથી પણ જે લોકો મૃત્યુ પામ્યા છે કે ઇજા પહોંચી છે તેમની પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાગરિક ઉડ્ડયન વિભાગ તમામનો સંપર્ક કર્યો હતો. વડાપ્રધાનનો પણ તુરંત જ ફોન આવી ગયો હતો. તમામ વિભાગને તુરંત જ એલર્ટ કરી દેવાયા હતા.