સી.આર.પાટીલે માહિતી જાહેર કરી : ભાજપ અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ મોરબી : અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. આ મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશીયલ મીડિયામાં વિગતો જાહેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જો કે તેઓએ તુરંત જ આ પોસ્ટ ડીલીટ પણ કરી નાખી હતી. બાદમાં સી.આર.પાટીલે સતાવાર વિગતો જાહેર કરી છે. અમદાવાદમાં આજે એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન લંડન જઈ રહ્યું હતું. જેમાં 242 લોકો સવાર હતા. આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. તેઓ પોતાની લંડન રહેતી દીકરીને મળવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં તેઓનું નિધન થયું છે. તેવી માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશીયલ મીડિયામાં જાહેર કરી હતી. બાદમાં ડીલીટ કરી નાખી હતી. બીજી તરફ સી.આર.પાટીલે સાંજે આ મામલે સત્તાવાર જાહેરાત કરી વિજયભાઇના નિધનના સમાચાર આપ્યા છે. હાલ ભાજપ અગ્રણીઓ વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.