નાગરિક ઉડયન મંત્રી રામ મોહન નાયડુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અમદાવાદ આવવા રવાના મોરબી : અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઈટ સ્થગિત કરી દેવાઈ છે. બીજી તરફ નાગરિક ઉડયન મંત્રી રામ મોહન નાયડુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અમદાવાદ આવવા રવાના થયા છે.સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલમાં જણાવાયુ છે કે એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનાના પરિણામે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (SVPIA) હાલ બંધ કરી દેવાયું છે. આગામી સૂચના સુધી તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે તેમ SVPIA પ્રવક્તાએ જાહરર કર્યું છે. બીજી તરફ વિજયવાડામાં રહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ તાત્કાલિક અમદાવાદ આવવા રવાના થયા છે. તેઓ DGCA, AAI, NDRF અને ગુજરાત રાજ્ય વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા હતા.