માનસિક બીમારીને કારણે વિરમગામથી નીકળી ગયેલા આધેડ ટ્રેન હડફેટે ચડી ગયામોરબી : માનસિક બીમારીને કારણે ઘેરથી નીકળી ગયેલા વિરમગામના આધેડ ગઈકાલે માળીયા મિયાણા - વાધરવા રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે આવી જતા શરીરે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા - વધારવા રેલવે ટ્રેક ઉપર ગઈકાલે ખોડાભાઈ દેવાભાઈ સેનવા ઉ.51 નામના પુરુષનું ટ્રેન હડફેટે આવી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના પુત્ર રાહુલભાઈએ જણાવ્યું હતું કે તેમના પિતાને માનસિક બીમારી હોવાથી બે દિવસ પહેલા ઘેરથી નીકળી ગયા હતા અને રેલવે ટ્રેક ઉપર ચાલતા હોય આ ઘટના ઘટી હતી.માળીયા મિયાણા પોલીસે બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.