ટંકારા : આજરોજ અમદાવાદમાં અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થઈ જતા લગભગ તમામ મુસાફરોના મૃત્યુ થયા છે અને પ્લેન જ્યાં પડ્યું ત્યાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનારના આત્માની શાંતિ માટે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ અને ગુરુકુળ દ્વારા શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી.