મોરબી : શ્રી ધીર ગુરુદેવની પ્રેરણાથી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને હકુભાઈ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર દ્વારા તા. 15-6-2025 ને રવિવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિરપરના માતૃ મંદિર ખાતે નિઃશુલ્ક દંતયજ્ઞ કેમ્પ અને ફ્રી બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દંત યજ્ઞ કેમ્પ સ્વ. નંદીનીબેન મહેન્દ્રકુમાર દોશી, દોશી પરિવારના સૌજન્યથી હસ્તે ગુણવંતરાય દોશી દ્વારા યોજાશે. કેમ્પમાં દંત રોગની તપાસ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ટીમના દંત વિશેષજ્ઞ ડો. જયસુખભાઈ મકવાણા, ડો. સંજય અગ્રાવત, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. હરેશ માળી, ડો. કુશરાજસિંહ સિસોદિયા, રાજુભાઈ વરિયા, હસુભાઈ મકવાણા વગેરે સેવા આપશે. દાંતના દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી પાયોરીયા, દાંતમાં રસી, દાંતમાં સડો અને દાંતના અને પેઢાના રોગની સારવાર કરી દવા આપવામાં આવશે. જે વૃદ્ધ વ્યક્તિને દાંતની બત્રીસી બનાવવું હશે તેમને વિનામૂલ્ય દાંતની બત્રીસી બનાવવા માટે માપ લેવાની વ્યવસ્થા કેમ્પમાં રાખવામાં આવી છે. આ કેમ્પને સફળ બનાવવા ગુણવંતભાઈ, હિમેશભાઈ દોશી અને વિરપર ગામના અન્ય અગ્રણીઓ વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. વધુ વિગત અને નામ નોંધાવવા મોનિકા ભટ્ટ (મો.નં. 70464 75404), ડો. સંજય અગ્રાવત (મો.નં. 76981 73267) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.