વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા નજીક આવેલ વડસર તળાવમાં ન્હાવા પડેલા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં રાતી દેવરી ગામે રહેતા મુનાભાઈ શેખરસિંગ બામનીયા ઉ.40 ગત તા.8ના રોજ પાણીમા ડૂબી જતાં ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરતા 24 કલાક બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.