રેવન્યુ બાર એસોસિએશનના સભ્યોએ ખાનગી કામો કરતા તલાટી કમ મંત્રીઓના નામ જોગ જિલ્લા વિકાસ અધિકારીને કરી રજુઆત : 15 દિવસમાં તલાટી કમ મંત્રીઓના ખાનગી કામો બંધ કરાવવાનું અલ્ટીમેટમમોરબી : મોરબી જિલ્લાના અનેક તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફિસો ખોલીને સરકારી કામોમાં ધ્યાન ન દેતા હોવાના આક્ષેપ સાથે મોરબી બાર એસોસિએશનના વકીલો મેદાને ઉતર્યા છે. તેઓએ આ મામલે તલાટી કમ મંત્રીના નામ જોગ રજુઆત જિલ્લા વિકાસ અધિકારીને કરી છે. આ રજુઆતમાં મોરબી બાર એસોસિએશનના સભ્યોએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં ઘણા બધા તલાટી કમ મંત્રીઓ સરકારનો ખોટી રીતે પગાર મેળવે છે અને ખાનગી ઓફિસ ચલાવી ખૂબ મોટી આવક મેળવતા ધ્યાને આવેલ છે. સરકાર તરફથી નિમણૂક કરેલ તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફિસ અને ખાનગી કામ કરી કરી ખૂબ આર્થિક રીતે સુખી સંપન્ન થય ગયેલ છે. જો સરકાર તરફથી આપવામાં આવેલ પગાર અને ખર્ચની તપાસ કરવામાં આવે સ્પષ્ટ ખ્યાલ આવી શકે તેમ છે.તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફિસ કરીને વારસાઈ આંબા, વારસાઈ એન્ટ્રી, હક કમી, વહેચણી, સુધારા-વધારાના કાર્ય, અપીલ કાર્ય, ગ્રામ્ય વેચાણ વયવહારના દસ્તાવેજ અને નોંધો, જન્મ મરણ જેવા કાર્ય કરે છે. સરકારી કામ કાજ માટે તલાટી કમ મંત્રીઓ પાસે સમય નથી, સરકારી કચેરી સમયે ખાનગી ઓફિસ એ બેઠા કાર્ય કરવું અને અરજદારના સીધા કાર્ય કરવા, સરકારી કાર્યથી દૂર રહી તે ગુનાહિત કૃત્ય ગણાય. કચેરીના સમયે અરજદાર બહાર તડકે બેઠો રાહ જોતો હોય છે અને તલાટીઓ દસ્તાવેજ નોંધાવતા હોય છે.(1) વિમલ ચંદ્રાલા (2)મેહુલ ઉઘરેજા (3) બળદેવ કુંડારિયા (4) આરીફ મન્સૂરી (5) નીલેશ દેસાઇ (6) સંદીપ દેત્રોજા (7) કેતન વડાવીયા (6) ઉમેશ ચંદ્રાસારા વિગેરે અને ટંકારાના (1) દિવ્યેશ રાજકોટિયા (2) યોગેશ દેત્રોજા વિગેરેની પર્સનલ રેવન્યુ કાર્ય માટેની અને દસ્તાવેજ કાર્ય માટેની ઓફિસ હોય, સરકારી કાર્ય કરવામાં જરા પણ રસ ન હોય ખાનગી કાર્યમાં ખૂબ રસ ધરાવે છે તેવું જે મોરબી રેવન્યુ બારને ધ્યાને આવેલ છે. જો તલાટી કમ મંત્રીઓ ખાનગી કાર્ય 15 દિવસ અંદર બંધ નથી કરતાં તો મોરબી રેવન્યુ બાર આકરા પગલાં લેશે. આ રજૂઆતના પ્રત્યુત્તરમાં જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.