મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ અને સિટી-2 પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તા.11ને બુધવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના હરિપર જેજીવાય ફીડર સવારે 7:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા ,લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.આ સાથે મોરબી શહેર-2 પેટા વિભાગના શ્રદ્ધા ફીડર હેઠળના શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા., ફૂલછાબ સોસા. વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સવારે 6:30થી 1:30 સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ ઔદ્યોગિક અને સિટી-2 પેટા વિભાગના નાયબ ઇજનેરોની યાદીમાં જણાવાયું છે.