મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તા 11-6-2025ને બુધવારે સવારે 8 થી 1 કલાકે રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર મોરબી -2 ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.જેમાં ફુલ છોડના કલમી, રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચાંપો, ગલગોટા, દરેક છોળ રાહત ભાવે આ ઉપરાંત દરેક જાતના દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, એલોવેરા, લીમડા - અરીઠા - શિકાકાઈના સાબુ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, દેશી ખાંડ, ગોળ, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા,શુધ્ધ ઠંડી મુલતાની માટી, લોખંડના કુંડાના સ્ટેન્ડ, કપ -રકાબી, બરણી, ગ્લાસ, હેન્ડીગ્રાફ માટલા વગેરે વસ્તુઓનું રાહતભાવે વેચાણ કરવામાં આવશે. આ સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડુત હાટ ભરે છે તો દરેકે કાપડ ની થેલી લઈને આવવુ. તેમજ વધુ માહિતી માટે રામભાઈ આહીર મો. નં. 982510984 અને લાલુભા એમ ઝાલા મો. નં. 9879253410 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.અમારી સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડુત હાટ ભરે છે કાપડ ની થેલી લઈને આવુ