મોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 11/06/2025 બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે હરિપર જેજીવાયર ફીડર બંધ રાખવામાં આવશે જેથી આ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. હરિપર જેજીવાયર ફીડરમાં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેમ મોરબી ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઈજનેર દ્વારા જણાવાયું છે.