મોરબી : મોરબીના ધરમપુર રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ભર ઉનાળે છેલ્લા ત્રણ દિવસથી પાણી ન આવતા રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. આ અંગે સોસાયટીના રહીશ બ્રિજરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કાળઝાળ ગરમીમાં દરેક લોકોને પાણીની તાતી જરૂરિયાત પડતી હોય છે ત્યારે સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી આવ્યું નથી. છેલ્લા ત્રણ દિવસથી પાણી કાપ મૂકવામાં આવ્યો છે. જેના કારણે સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેથી સત્વરે પાણી આપવામાં આવે તેવી સૌ લોકોની માંગ ઉઠવા પામી છે.