મોરબી : મોરબીના કેરાળી ગામ ખાતે તા. 6-6-2025ને શુક્રવારના રોજ ચાવડા પરિવાર દ્વારા કુળદેવી માતાજીના નવા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તથા ચાવડા પરિવારની સમાજ વાડીનું પૂર્વ કેબિનેટ મંત્રી તથા ગુજરાત આહીર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ દરમ્યાન વવાણીયાના રામબાઈ માંની જગ્યા ના મહંત શ્રી પ્રભુદાસજી ગુરુ જગન્નાથ મહારાજ તથા સુપ્રસિદ્ધ રાયથ્રી હનુમાનની જગ્યાના મહંતે આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. આ ક્રાયક્રમમાં સમગ્ર કેરાલી ગામના ગ્રામજનો તથા સમસ્ત ચાવડા પરિવાર જોડાયેલા હતા.