મોરબી : નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી તારીખ 8 જૂન ને રવિવારના રોજ સવારે 8 થી બપોરે 1 કલાક સુધી મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે વિવિધ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે.જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, કપ, રકાબી, બરણી, ગ્લાસ, હેન્ડીક્રાફ્ટ માટલા, સરગવો, દુધી બીટ ગાજરનું જ્યૂસ ફ્રી ટેસ્ટ તથા વેચાણ કરવામાં આવશે. તો આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા પ્રમુખ વી.ડી. બાલા (મો.નં. 9427563898) તથા લવજીભાઈ પ્રજાપતિ મોરબી (મો.નં. 992536946) દ્વારા જણાવાયું છે. આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટ ભરે છે. વસ્તુ ખરીદવા આવો ત્યારે કાપડની થેલી લઈને આવવા જણાવાયું છે.