મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તારીખ 28 મે થી 3 જૂન દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ 129 પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસે અને રાત્રે રવાપર રોડ, બાપા સીતારામ ચોક, વસંત પ્લોટ, મંગલ ભુવન ચોક, ખાટકીવાસ, બેઠા પુલ, વાંકાનેર દરવાજા, વાવડી રોડ, માધાપર રોડ જેવા વિવિધ વિસ્તારમાંથી ઢોર પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા ઘાસ વેચાણ કરતાં 11 વેપારી તેમજ 17 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા હતા.