મોરબી: મૂળ સુરવદર હાલ મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈ (ઉ.વ.47) તે સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ (નગરપાલિકાના પૂર્વ ચેરમેન)ના નાનાભાઇ, મિત જીતેન્દ્રભાઈ દેસાઈના પિતા, દીપ સુરેશભાઈ દેસાઈના કાકા તથા ચંદુલાલ લક્ષ્મણભાઈ ફેફર, દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ફેફરના બનેવીનું તા.05ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 07ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ,મોરબી ખાતે રાખેલ છે.(નોંધ:- સસરા પક્ષનુ બેસણું સાથે રાખેલ છે) સુરવદર ગામે બેસણું તા. 09ને સોમવારે સાંજે 4.00 થી 5.30 રાખેલ છે.