એસીબીને પીએસઆઇ વિરુદ્ધ પુરાવા ન મળ્યા, એટલે માત્ર કોન્સ્ટેબલ સામે જ ગુનો નોંધાયો હતોમોરબી : અમદાવાદ એસીબીએ મોરબીમાં લાંચનું સફળ છટકું ગોઠવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી નગર દરવાજા પોલીસ ચોકીના કોન્સ્ટેબલને ઝડપી લીધા બાદ તેને રિમાન્ડ ઉપર લેવાયો હતો. આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વાવડી વિસ્તારમાં એક પ્લોટનો વેચાણ દસ્તાવેજ ખોટી રીતે કરાવ્યો હોવાની અરજીની તપાસના નામે નગર દરવાજા ચોકીના પીએસઆઇના રાઇટર હિતેશ મકવાણાએ અરજીની પતાવટ માટે 3 લાખની માંગણી કરી બાદમાં રૂપિયા 2.35 લાખના પતાવટ કરવા કહેતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે વાકેફ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યુ હતું જેમાં પીએસઆઇના રાઇટર હિતેશ મકવાણા લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતા એસીબી પોલીસ ટીમે રાઇટર હિતેશ મકવાણાને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. લાંચ કેસમાં ઝડપાયેલા રાઇટર હિતેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ આજે પૂર્ણ થઈ જતા તેને જેલહવાલે કરવામાં આવ્યો છે. બીજી તરફ પીએસઆઈનો મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી દેવાયો છે. તેમ પીઆઇ દેકાવડીયાએ જણાવ્યું છે.