ગણ્યા ગાંઠ્યા જ ખેડૂતો વિરોધમાં જોડાયા, પોલીસે ઘટના સ્થળે પહોંચી વિરોધ શરૂ થયાના મિનિટોમાં જ મામલો થાળે પાડ્યોમોરબી : મોરબી જિલ્લામાં સિંચાઈના પાણી પ્રશ્ને કોંગ્રેસ દ્વારા આજે હળવદ- કચ્છ હાઇવે ઉપર રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આ આંદોલન શરૂ થયાની મિનિટોમાં જ પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરી લીધી હતી. મોરબી જિલ્લા ગામોના ખેડુતોને આગોતરા વાવેતરમાં સિંચાઈનું પાણી મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાયની લડત આપવાનું એલાન અપાયું હતું. જે અંતર્ગત આજે સવારે હળવદ- કચ્છ હાઇવે ઉપર દેવળીયા-રોહીશાળા રોડ પર સી.એન.જી. પંપની બાજુમાં ડી-૨૪ કેનાલ પાસે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જો કે તેમાં ખેડૂતો ગણ્યા ગાંઠ્યા જ હતા. આ આંદોલન શરૂ થયાની મિનિટોમાં જ પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસ અગ્રણીઓએ આ વેળાએ જણાવ્યું કે કેનાલ સફાઈ કરવાની જાહેરાત થઈ હતી પણ કેનાલની સફાઈ થઈ નથી. માત્ર પૈસા જ ખવાઈ ગયા છે. સિંચાઈનું પાણી આવી જશે તેના માટે તારીખો જાહેર કરવામાં આવી હતી પણ પાણી આવ્યું નથી. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના ડે. એન્જીનીયર કિરીટ ભાભોરે જણાવ્યું કે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ જે રોહિશાળા પાસેથી નીકળે છે. ત્યાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મેઈન બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે. ત્યાં જીવાપરથી આગળ સુધી પાણી પહોંચી ગયું છે. ડી 24 માઇનોરમાં હવે ચાલુ થશે. સાંજે અહીં પાણી પહોંચી જશે.