માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)માં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન સંસ્થાના સ્ટાફ સુપ્રીટેન્ડન્ટ શંકરલાલ, વ્યવસ્થાપક કાળુભાઈ તેમજ સંગાથ વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધો દ્વારા વૃક્ષોનું જતન સંવર્ધન કરવું તેમજ પર્યાવરણ બચાવો અંતર્ગત પોતાની જીવનશૈલી બદલી તેનું અમલીકરણ કરવા સંકલ્પ કરવામાં આવ્યો. જેમાં જરૂર પૂરતા પાણીનો ઉપયોગ કરવો, જરૂર પૂરતી વીજળી વાપરવી, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો, પ્રવાહી અને ઘનકચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું વગેરે નાની નાની બાબતો સભાનપણે અમલમાં મુકવા પ્રતિજ્ઞા લેવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની સફળતા પૂર્વક ઉજવણી કરવામાં આવી.