વકીલ માતાજીનો પ્રસંગ કરતા સારું નહિ લાગ્યું હોવાથી કારમાં આગ ચાંપીટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે રહેતા અને વકીલાત કરતા એડવોકેટ પોતાના ઘેર માતાજીનો પ્રસંગ કરતા આ બાબત સારી નહિ લાગતા પાડોશમાં જ રહેતા બે શખ્સોએ વકીલ યુવાનની આઈ ટવેન્ટી કારમાં આગ ચાંપી દઈ કારમાં નુકશાન કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે રહેતા અને વકીલાત કરતા દેવજીભાઈ રાણાભાઈ ચૌહાણે આરોપી નરેશ ઉર્ફે પોપટ રામજીભાઈ ચૌહાણ અને આરોપી દિનેશ ચનાભાઈ ચૌહાણ રહે.નાના ખીજડિયા ગામ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ પોતાના ઘેર માતાજીનો પ્રસંગ કર્યો હોય જે બન્ને આરોપીઓને સારું નહિ લાગતા ગઈકાલે મોડીરાત્રે બન્ને આરોપીઓએ તેમની આઈ ટવેન્ટી કારમાં આગ લગાવી નુકશાન કર્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.