મોમાઈ મા તથા ગાત્રાળ માનો નવરંગો માંડવો યોજાશે મોરબી : મોરબીના હળવદ ઘુંટુ રોડ પર મહેન્દ્રનગર ખાતે તારીખ 6 જૂન ને શુક્રવારના રોજ મોમાઈ મા, ગાત્રાળ માનો નવરંગો માંડવો, રાજબાઈમાં કામાઈ મા, આદી આવળ માના મેળા તથા કરંડીયા વાળી મોગલ માનો તરવાળો તથા નવચંડી યજ્ઞનું અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. ભીખુભા હરવાભા ગઢવી, દિનેશભાઈ ચંદુભાઈ માજુસા તથા સમરથ આઈ મા ઉપાસક દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેજેમાં તારીખ 6 જૂનના રોજ સવારે શુભ મુહૂર્તમાં થાંભલી રોપણ કરવામાં આવશે. ત્યારબાદ 10 કલાકે સવારે ધજા રોહણ કરવામાં આવશે. બપોરે 1 કલાકે બીડું હોમવામાં આવશે. બપોરે 4 કલાકે માતાજીના મેળા તથા ભુવાજીના સામૈયા કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે રાજબાઈ મા, કામઈ મા તથા આવળ માના મેળાનું આયોજન કરાયું છે. સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે મગન મહારાજ (હજામચોરા) હાજરી આપશે. 6 જૂને મધ્યરાત્રીએ મોગલ માનો તરવાળો યોજાશે. જેમાં કલાકાર જે.કે. ટીંબા, વિહાભાઈ રબારી, કુલદીપ રબારી, વિપુલ રબારી અને રાવળદેવ દેવાભાઈ મેવાડા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભુવા અમિતભાઈ ગઢવી અને કલમના ભુવા દિનેશભાઈ રબારી હાજરી આપશે. 7 જૂન ને શનિવારે વહેલી સવારે ભાણા પ્યાલા તથા થાંભલી વધાવવાનું મુહૂર્ત છે.