મોરબી : ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19269 પોરબંદર - મુઝફ્ફરપુર એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર ચાલશે.6 જૂન, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર - મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા - જયપુર - રેવાડી ને બદલે બદલાયેલા માર્ગ વાયા ફુલેરા - રીંગસ - રેવાડી થઈને ચાલશે. આ માર્ગ પરિવર્તન દરમિયાન, આ ટ્રેન બદલાયેલા માર્ગ પર રીંગસ, શ્રી માધોપુર, નીમ કા થાણા, નારનૌલ અને અટેલી સ્ટેશનો પર ઊભી રહેશે. યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.