મોરબી : મોરબી ખાતે વર્ષ 1996માં સ્થાપના કરવામાં આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીની તાજેતરમાં સાધારણ સભા મળી હતી. જેમાં નવા કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં જમનાદાસ ટપુભાઈ પરમાર, કેશવલાલ રામજીભાઈ ચાવડા, વલ્લભદાસ હિરદાસ પરમાર, પરેશકુમાર માલજીભાઈ પારીઆ, હિતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ, મૂળજીભાઈ ડી. સોલંકી, વકિલ હસમુખભાઈ એમ. સોલંકી, ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા, મહેશભાઈ હીરાભાઈ પરમાર, નિલેશભાઈ ભીમજીભાઇ ચૌહાણ, મણીલાલ વાલજીભાઈ ચાવડા, આકાશ ગલાભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે. તેમજ 20 થી વધુ સામાન્ય સભ્યો સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યા છે. આગામી વર્ષ 2025-26 માં ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં પિતા હયાત વગરના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે, તેમજ શિક્ષણમાં નબળા રહી ગયેલા બાળકોને ફ્રીમાં ટ્યુશન આપવામાં આવશે. અને એક ઘરમાં બેથી વધુ કન્યાઓ હશે તો બાકીની કન્યાઓની 50% ફ્રીમાં રાહત આપવામાં આવશે તેમ ટ્રસ્ટના કાર્યરત મંત્રી કેશવલાલ ચાવડાએ જણાવ્યું હતું.મોરબી ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા વર્ષ 1996માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી જે ટ્રસ્ટ હેઠળ પાટીદાર વિદ્યાર્થી ભુવન પાસેથી શૈક્ષણિક હેતુસર જગ્યા મેળવી વર્ષ 2001માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય શરૂ કરવામાં આવી હતી. આ સમયે 11 સામાજિક આગેવાનો આ ટ્રસ્ટનું સંચાલન કરી રહ્યા હતા. જેમાંથી સાત ટ્રસ્ટીઓના અવસાન થતાં ચેરિટી કમિશનર મોરબી દ્વારા તેઓના નામ કમી કરતા ટ્રસ્ટમાં ખાલી પડે જગ્યાઓ માટે ટ્રસ્ટના સામાન્ય 33 સભ્યોમાંથી 12 સભ્યોને કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરી સ્કીમ 50 એ મુજબ નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. તારીખ 31/05/2025 ના રોજ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ટ્રસ્ટના હાલના કાર્યકારી પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને પ્રથમ કારોબારી મિટીંગ મળી હતી જેમાં 12માંથી 10 સભ્યો હાજર રહ્યા હતા.