મોરબી : પંચમુખી હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, ઉમા સ્કૂલની સામે, મોરબી ખાતે જાહેર જનતાના લાભાર્થે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક સ્કૂલના પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી, નવનીત, કલાસમેટ, વિજન વગેરે કંપનીની નોટબુક, ફોર લાઈન, ચેકસ લાઈન, સિંગલ લાઈન, ટુ લાઈન નોટબુકો રાહતદરે મળશે. વહેલા તે પહેલાના ધોરણે આ વિતરણ કરવામાં આવશે. જેમાં પુઠાના રોલ, કંપાસ, સ્કૂલબેગ, વોટરબેગ, પેડ પાઉચ, સ્કેલ બધી વસ્તુઓ રાહતભાવે મળશે. તેમજ પ્લાસ્ટિક કે ઝબલાની વ્યવસ્થા રાખેલ નથી તેથી ખરીદી કરવા આવનારે ઘરેથી થેલો - થેલી સાથે લઇ આવવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.