દલીચંદભાઈ જેરામભાઈ પુજારા પરિવારના સહયોગથી યોજાશે કેમ્પ : અત્યાર સુધી ૪૪ કેમ્પનો ૧૨૮૯૮ લોકોએ લાભ લીધો, ૫૮૮૬ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન થયા મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૬-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન દલીચંદભાઈ જેરામભાઈ પુજારા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૪૪ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૨૮૯૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૫૮૮૬ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા. તેમ નિર્મિત કક્કડ, પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ, મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યાદીમાં જણાવાયું છે.