રાજકોટ : મુસાફરોની સુવિધા અને સંચાલનના કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો અને સમય સુધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત અહીં આપવામાં આવી છે.1) ટ્રેન નં. 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 30-05-2025 થી આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 09-05 ને બદલે 08-35 વાગ્યે પહોંચશે.2) ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 30-05-2025 થી આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 09.26 ને બદલે 09.10 વાગ્યે પહોંચશે.3) ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.45 ને બદલે 08.56 વાગ્યે પહોંચશે.4) ટ્રેન નં. 20914 દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 30.05.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.35 ને બદલે 07.55 વાગ્યે પહોંચશે.5) ટ્રેન નં. 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.02 ને બદલે 07.32 વાગ્યે પહોંચશે.6) ટ્રેન નં. 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 03.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.7) ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.8) ટ્રેન નં. 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 04.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર ૧૧.૧૨ ને બદલે ૧૧.૩૨ વાગ્યે પહોંચશે.9) ટ્રેન નં. 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનો હાપા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 30-05-2025 થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન હાપા સ્ટેશન પર 13-27 ને બદલે 13-16 વાગ્યે પહોંચશે.10) ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો ખંભાળિયા સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 30-05-2025 થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન ખંભાળિયા સ્ટેશન પર 12-54 ને બદલે 12-53 વાગ્યે પહોંચશે.11) ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસનો દ્વારકા સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 05-06-2025 થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન દ્વારકા સ્ટેશન પર 14-35 ને બદલે 14-56 વાગ્યે પહોંચશે.ટ્રેનોના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન સમય સહિત અન્ય અપડેટ માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.