વાંકાનેર : ઢુંવા નજીક અજાણ્યા પુરુષની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે મૃતદેહને પીએમના ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલતમાં ઢુવા ગામની સીમમાં 20 નાલા પાસે આવેલ સુરાપુરા દાદાના મંદિર પાસે એક અજાણ્યા પુરુષની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવેલ છે. આ પુરુષના વાલી વારસ અંગે જે કોઈને જાણ હોય તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મોબાઈલ નંબર- 6369626086 તથા તપાસ કરનાર એએસઆઈ સુરેશભાઈ ચાવડા મોબાઈલ નંબર 98790 76130 ઉપર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.