મોરબી : મોરબીમાં આવતીકાલ તા. 31-5-2025 ને શનિવારના રોજ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સવારે 9 કલાકે વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેરના ગાયત્રી ચેતના કેન્દ્રથી રેલીનું પ્રસ્તાન કરી નવા બસ સ્ટેન્ડ, સીતારામ ચોક, અવની ચોકડી, ઉમિયા સર્કલથી ગાયત્રી ચેતના કેન્દ્ર શનિદેવ મંદિર પાછળ, છોટાલાલ પેટ્રોલ પંમ્પ બાજુની શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રેલી પરત આવશે. ત્યારે મોરબીના તમામ જાહેર ટ્રસ્ટો, એસોસિએશન, મહિલા મંડળ, સામાજિક સંસ્થાઓ વગેરેને જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.