ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે આવેલ કારખાનામાં ચાર દિવસ પૂર્વે કામ કરતી વેળાએ ત્રીજા માળેથી પડી જતાં આધેડને ગંભીર ઇજા પહોંચી હોય જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન આધેડે દમ તોડી દીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે નજીક આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરતા 52 વર્ષીય જગદીશકુમાર ધૂપઈ કારખાનામાં કામ કરતા હતા ત્યારે ગત 25/5 ના કોઈ કારણસર ત્રીજા માળેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.