મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તારીખ 31 મે ને શનિવારનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી 0 થી 15 વર્ષ સુધીના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના રવાપર રોડ પર નિલકંઠ સ્કૂલની સામે હનુમાનજી મંદિર વિશ્વકર્મા સોસાયટી ખાતે 31 મેએ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. આ કેમ્માં ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ- મોરબીના સભ્યો સેવા આપશે. તો આ કેમ્પનો લાભ લેવા તમામ સોસાયટીના બાળકોને અને વાલીઓને જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 94272 13999 પર સંપર્ક કરવા જણાવાયું છે.