રસ ધરાવતાઓએ 3 જૂન સુધીમાં અરજી કરવીવાંકાનેર : વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલી જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી નક્કી કરેલી લાયકાત અને વય મર્યાદા ધરાવતા સ્થાનિક ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી તારીખ 3 જૂન સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય પોસ્ટ મારફતે અથવા રૂબરૂ બંધ કવરમાં કરવાની રહેશે.વાંકાનેર તાલુકામાં કુલ 10 સંચાલક, 25 રસોયા અને 23 મદદનીશની જગ્યા ભરવાની છે. જે માટે સંચાલક માટેની જગ્યા માટે ઉમેદવાર એસએસસી પાસ. જે ગામે એસએસસી પાસ ન હોય તો ધોરણ-7 પાસની છૂટછાટ આપવામાં આવી છે. રસોયા તથા મદદનીશની નિમણૂક માટે કોઈ શૈક્ષણિક લાયકાત નથી. વય મર્યાદા 20 વર્ષથી 60 વર્ષ સુધીની છે. અરજી ફોર્મ મેળવવાનું સરનામું મામલતદાર-વાકાનેર, મધ્યાહન ભોજન શાખ, મામલતદાર કચેરી, વાંકાનેર છે. અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિ. માર્કશીટ, રહેણાંકનો પુરાવો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, પોલીસ ફરિયાદ નથી તેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. અરજી ફોર્મમાં ફોટો ચોંટાડી કચેરીએ જમા કરાવવાનું રહેશે.