મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે અને ઠંડક મળે તેઓની તૃષા છીપાવી શકે તે માટે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર શનાળા રોડ મોરબી ઉમિયા સર્કલ પાસે તા. 31-5-2025 ને રવિવારના રોજ સવારે 8:30 થી બપોરના 12 કલાક દરમ્યાન વિના મૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ઘરનું વિતરણ કરવામાં આવશે. ત્યારે દરેક જીવદયા પ્રેમીઓ આ સેવાકીય પ્રોજેક્ટનો લાભ લેવા પ્રોજેક્ટ ચેરમેન લા. એ.એસ. સુરાણી, પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા અને ખજાનચી લા. મણિલાલ જે. કાવરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.