ડીડીઓ જે.એસ. પ્રજાપતિ સહિતના નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યુંમોરબી : વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા UPSC/GPSC પરીક્ષા માટે સમાજના યુવાનોને તૈયાર કરવા અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સમાજના ધો.12થી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને યુવાનોને આવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવા અને જરૂરી માર્ગદર્શન સાથે તૈયાર કરવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 5 જૂને મોરબીમાં UPSC/GPSC પરીક્ષાની તૈયારના ભાગ રૂપે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક વિદ્યાર્થીઓ માટે ગત તારીખ 26 મેના રોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને આપણા સમાજના માર્ગદર્શક પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ એક દિવસનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો.26 મેના રોજ મોરબીની એલઈ કોલેજ કેમ્પસના મિટીંગ હોલમાં આ તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સમાજના વિદ્યાર્થીઓને વિવિધ નિષ્ણાતો અને પ્રજાપતિ સમાજના સરકારી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સેશન સમય સવારે 9 થી 12 સુધીમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ જાણીતા નિષ્ણાત યશભાઈ પટેલ દ્વારા UPSC/GPSCનું માળખું અને વિષયો કેવી રીતે તૈયારી કરવી તે સમજાવ્યું હતું. જ્યારે વડાવિયા સરે પરીક્ષાના અભ્યાસક્રમ અને ઇન્ટરવ્યૂની કેવી રીતે તૈયારી કરવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.પ્રથમ સેશન બાદ દરેક વિદ્યાર્થીઓ માટે અગ્નેશ્વ મહાદેવ મંદિર ખાતે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ત્યાર બાદ બપોરે 2 થી 5 વાગ્યા સુધીના બીજા સેશનમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા દેશના વિકાસમાં ભારતીય પ્રશાસનિક અધિકારીઓનું મહત્વ અંગે વિગતવાર સમજણ આપી હતી. જ્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર રોહિત પ્રજાપતિ અને ડે. કલેકટર સુશીલ પરમાર(પ્રજાપતિ) દ્વારા પરીક્ષાને લગતી જરૂરી માહિતી અને રાજ્ય સરકાર હસ્તકની તાંત્રીક સેવાઓ અંગે જરૂરી માહિતી આપી હતી.સમગ્ર તાલીમ વર્ગનું સફળ સંચાલન વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ માર્ગદર્શક રમણીકભાઈ બરાસરા દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગના આયોજન વ્યવસ્થા માટે વરિયા બોર્ડિંગની યુવા સંચાલક ટીમની સાથે મહિલા ટીમ દ્વારા પણ જેહમત ઉઠાવવામાં આવી હતી. આ સાથે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના કાર્યકારી પ્રમુખ ભાવેશ વામજા દ્વારા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના આવા શિક્ષણ માટેના મહત્વના કાર્યક્રમોમાં સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓએ વધુમાં વધુ સંખ્યામાં જોડાય તે માટે સમાજના દરેક આગેવાનો અને વાલીઓને સહકાર આપવા નમ્ર અપીલ પણ કરવામાં આવી છે.